Monday, January 30, 2012

ફરી પધારશો ગાંધી?


અંગ્રેજી હકુમતને તો તમે એકલાય કાઢશો ગાંધી.
પણ આઝાદ ભારતને ઓછા પડશે પાંચસો ગાંધી*.

કોથળામાં પૂરીને લાવ્યા'તા એક વખત સંસદમાં**
પાંચનીમાંને  હજારનીમાં, કહ્યું'તું ન છાપશો ગાંધી.

દર બીજી ઓકટોબરેને ત્રીસ જાન્યુઆરીએ ચારેકોર 
શાંતિને અહિંસાનો ઓચિંતો જુવાળ ભાળશો ગાંધી. 

છેલ્લી પ્રાર્થનામાં મોડા પડ્યાનો રહી ગયો વસવસો
નહીં તો પાબંદ હતો કેડે બાંધેલી ઘડિયાળશો ગાંધી.***

હવે તો થાકયો છે તમારા બહુરુપીયાઓથી 'અમિત' 
ટોપીની નહિ તમારી જરૂર છે, ફરી પધારશો ગાંધી?

*સંદર્ભ: ૩૦ જાન્યુઆરી ૨૦૧૨ ના દિવસે કલકત્તાના ૫૦૦ થી વધુ બાળકોએ ગાંધીનો વેશ કાઢીને વિશ્વ વિક્રમ સર્જ્યો.
**સંદર્ભ: ૨૨ જુલાઈ ૨૦૦૮ મા no confidence vote વખતે કોથળામાં લાવેલી હજારની નોટો દર્શાવીને યુપીએ સરકાર પર રૂપિયાથી સંસદ સભ્યો ના મત ખરીદવાનો આરોપ મુકાયેલો.
***સંદર્ભ: ગાંધીજી પાંચ વાગ્યાની પ્રાર્થનામાં તે દિવસે મોડા પહોંચેલા એટલે કદાચ દશ મિનીટ વધુ જીવ્યા. સમય પર પહોંચવાના એ ખુબ આગ્રહી હતા અને એ દિવસે મોડા પડ્યાનું એમને દુખ પણ હતું. એમની હમેશની સાથી અને પોતડીએ બાંધેલી ઘડિયાળ એમની હત્યા સમયે તૂટી ગઈ અને એમના મૃત્યુનો સમય એમાં હંમેશ માટે અંકાઈ ગયો.  

2 comments:

  1. Anonymous5:23 PM

    Appropriate sarcasm. Footnotes are quite useful in gaining precise insight.

    ReplyDelete
    Replies
    1. Thank you Panchambhai. Your encouraging words inspires me a lot.

      Delete